દૂબઇ: ટીમ ઇન્ડિયા એશિયા કપમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મહત્વના મુકાબલા માટે ભારતીય ટીમ તૈયારી કરી રહી છે. ભારત-પાકિસ્તાન ગત વર્ષે ટી-20 વર્લ્ડકપ પછી પ્રથમ વખત એક બીજા સામે ટકરાશે. મુકાબલા પહેલા બન્ને ટીમોએ દૂબઇમાં પ્રેક્ટિસ કરી હતી. આ ટૂર્નામેન્ટને કવર કરવા માટે કેટલાક દેશના પત્રકાર યૂએઇ પહોચ્યા છે.
આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ કેટલાક પત્રકારો સાથે વાતચીત કરી રહ્યો છે. બન્ને ક્રિકેટેર પત્રકારોને ખેલાડીઓના પ્રાઇવેટ જીવન પર ટ્વીટ અને રિપોર્ટ અંગે સવાલ પૂછી રહ્યો હતો. વીડિયોમાં દેખાય છે કે પત્રકાર પણ પોતાની વાત કહેતા જોવા મળી રહ્યા છે. સાથે જ રોહિત શર્માને એમ કહેતા સાંભળી શકાય છે કે જણાવો કોણ છે?
રોહિત શર્મા અને ચહલ વાતચીત દરમિયાન પત્રકારને પૂછી રહ્યા હતા કે તે કોણ રિપોર્ટર છે, જે ખેલાડીઓની પર્સનલ લાઇફ વિશે રિપોર્ટ કરે છે. આ દરમિયાન, જ્યારે એક રિપોર્ટરે કહ્યુ કે તે જાણે છે કે કોને કર્યુ છે તો તેની પર રોહિત શર્મા કહે છે કે જણાવો કોણ છે? જોકે, રિપોર્ટરે તેનું નામ સાર્વજનિક કર્યુ નહતુ.
ચહલ અને તેના પત્નીના પર્સનલ લાઇફ અંગે સમાચાર આવ્યા હતા
કેટલાક દિવસ પહેલા આ રીતના સમાચાર આવ્યા હતા કે ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યુ. આ વાત ત્યારે સામે આવી હતી જ્યારે ધન શ્રી વર્માએ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાનું સરનેમ ધનશ્રી વર્મા ચહલથી ધનશ્રી વર્મા કરી લીધુ હતુ. ચહલે પણ નવી લાઇફને લઇને એક પોસ્ટ કરી હતી. એવામાં સવાલ ઉભા થયા હતા કે શું બન્ને વચ્ચે કોઇ વિવાદ થઇ ગયો છે પરંતુ બાદમાં ચહલે સોશિયલ મીડિયા પર તેને માત્ર અફવા ગણાવી હતી.