Gujarat Exclusive > ગુજરાત > અરવલ્લી: કૃષ્ણાપુર પાસે અંબાજી જતા પદયાત્રીઓને કાર ચાલકે કચડ્યા, 7 લોકોના મોત

અરવલ્લી: કૃષ્ણાપુર પાસે અંબાજી જતા પદયાત્રીઓને કાર ચાલકે કચડ્યા, 7 લોકોના મોત

0
16

મોડાસા: અરવલ્લીના કૃષ્ણાપુર પાસે કાર ચાલકે અંબાજી જતા પદયાત્રીઓને કચડી નાખતા 7 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ અને મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.

અંબાજી જતા પદયાત્રીઓને અરવલ્લીના કૃષ્ણાપુર પાસે કાર ચાલકે અડફેટે લીધા હતા જેમાં 7 લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક સ્થાનિકનું પણ મોત થયુ હોવાનું જાણવા મળ્યુ છે. બનાવની જાણ થતા જ લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત

આ અકસ્માત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો હતો.

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat