મોડાસા: અરવલ્લીના કૃષ્ણાપુર પાસે કાર ચાલકે અંબાજી જતા પદયાત્રીઓને કચડી નાખતા 7 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ અને મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.
અંબાજી જતા પદયાત્રીઓને અરવલ્લીના કૃષ્ણાપુર પાસે કાર ચાલકે અડફેટે લીધા હતા જેમાં 7 લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક સ્થાનિકનું પણ મોત થયુ હોવાનું જાણવા મળ્યુ છે. બનાવની જાણ થતા જ લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત
આ અકસ્માત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો હતો.
અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 2, 2022